
વોરંટ કોઇપણ વ્યકિતને બજવવા આપી શકશે
"(૧) કોઇ નાસી છુટેલા ગુનેગારને ઘોષિત ગુનેગારને અથવા બિન જામીની ગુનાનો જેના ઉપર આરોપ હોય અને ધરપકડ ટાળી રહેલા હોય તે વ્યકિતને પકડવા ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કે પ્રથમ વગૅના મેજિસ્ટ્રેટ પોતાની સ્થાનિક હકુમતની અંદર આવેલ કોઇ વ્યકિતને વોરંટ બજાવવા આપી શકશે
(૨) તે વ્યકિતએ તો વોરંટની લેખિત પહોચ આપવી જોઇશે અને જેને પકડવા માટે તે કાઢયુ હોય તે વ્યકિત તેની જમીન કે તેની દેખરેખ હેઠળની બીજી મિલકતમાં હોય અથવા તેમા પ્રવેશે તો તેણે તે વોરંટ બજાવવુ જોઇશે
(૩) જેના માટે તે વોરંટ કાઢવામાં આવ્યુ હોય તે વ્યકિતને પકડવામાં આવે ત્યારે તેને વોરંટ સાથે નજીકમાં નજીકના પોલીસ અધિકારીને સોપી દેવો જોઇશે અને કલમ ૭૧ હેઠળ જામીનગીરી લેવામાં ન આવે તો તે પોલીસ અધિકારીને તે બાબતમાં હકુમત ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ તેને મોકલી આપવી જોઇશે"
Copyright©2023 - HelpLaw